તાલુકાના આંગળીયા ગામે થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો; મૃતકનો પતિ જ હત્યારો નિકળ્યો પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ અને પોલીસ અધિક્ષકશ્રી ડો. હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં એક અનડીટેક્ટ મર્ડર કેસનો પર્દાફાશ કર્યો છે. તા. ૧૪/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ ગોધરા તાલુકાના આંગળીયા ગામે સવલીબેન વા/ઓ દેવીસિંહ રાઠવાને