ભાવનગરના મોતીતળાવ પાસે ગત 9 જાન્યુઆરીના રોજ બપોરના સમયે જ્યારે ફરિયાદી રોહિતભાઇ ગોહેલ અને તેમના બનેવી સુરેશભાઇ પાન-માવો ખાવા ઉભા હતા, ત્યારે બટુકભાઈ બલોચ અને તોફીક નામના શખ્સોએ "અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરી છે" તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ તૌફિકે છરી વડે સુરેશભાઇના છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લઈ સમગ્ર ઘટના અંગેનું રીકન્ટ્રક્શન કરાયુ.