કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ ગામ આજે પણ 26 જાન્યુઆરીના દિવસે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવે છે. ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે ભચાઉ શહેરના વેપારીઓ દ્વારા કામ ધંધા બંધ રાખીને સ્વેચ્છાએ ભચાઉ સજ્જડ બંધ રાખવામાં આવે છે.