નરા ગામે રહેતો 22 વર્ષીય યુવાન પ્રવીણ ઉર્ફે મનીષ રામજી મહેશ્વરીએ આજે સાંજે છ વાગ્યા પહેલાં કોઇ પણ સમયે અગમ્ય કારણોસર ગામની દક્ષિણ સીમમાં કેરના ઝાડમાં ગળેફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળ્યો હતો. આ આપઘાતના બનાવ અંગે નરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.