બાલાસર પોલીસ તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું હતું.