તળાજા: ગોપનાથ ફરવા આવેલા યુવક પર જીવલેણ હુમલો, બોલેરો ચાલકોની લુખ્ખાગીરી સામે રોષ
તળાજા, તળાજા તાલુકાના ગઢુલા-પીઠલપુર રોડ પર બોલેરો વાહન લઈને સ્ટંટ કરતા સ્થાનિક શખ્સોને ટપારવા જતાં ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવેલા કાર ચાલક પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સાવરકુંડલાના નેસડી ગામના બાવચંદ પ્રવીણભાઈ મકવાણા (ઉ.વ. 30) પોતાના મિત્રો સાથે ઈકો કારમાં ગોપનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. તેઓ ગઢુલા-પીઠલપુર રોડ પરથી પસાર થઈ રહ્ય