શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ વિકાસ કાર્યોની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.