ગોધરા શહેરના રાણી મસ્જિદ નજીક આવેલા એક વીજપોલ પર અચાનક આગ લાગવાની ઘટના બની છે. આ આગ લાગતાંની સાથે જ સ્થાનિક જાગૃત નાગરિકોએ તાત્કાલિક પગલાં લીધા હતા. તેમણે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે બ્રિકેટ મૂકીને માર્ગને તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેથી ટ્રાફિકનું નિયમન થઈ શકે અને લોકોને સલામત રાખી શકાય. આ બાદ, સ્થાનિકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટના બાદ સ્થાનિકોનો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સ્થાનિકોના ગંભીર આક્ષેપ મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી આ વીજપોલ પર વાર