જેટી પર વહાણ આગની ઘટનામાં 5.26 કરોડનું નુકશાન પહોંચ્યું,બનાવ નોંધાયો
Porabandar City, Porbandar | Sep 23, 2025
પોરબંદરમાં જેટી પર ચોખા અને ખાંડ ભરવા આવેલ હરીદર્શન નામના વહાણમાં એકાએક આગ લાગી હતી.આ આગ વિકરાળ બનતા વહાણને જેટીથી દરિયામાં ધકેલી દેવાયું હતું.આ ઘટનામાં વહાણમાં રહેલ રૂપિયા 2.92 કરોડના ચોખા,રૂપિયા 34.12 લાખની ખાંડ તેમજ રૂપિયા 2 કરોડનું વહાણ મળી કુલ 5.26 કરોડનું નુકશાન થયું હોવાનું વહાણના ટંડેલ તસ્લિમ કાસમભાઈ સંઘારે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં બનાવ નોંધાવ્યો