આજરોજ હિંદુઓમાં અનેરું મહત્ત્વ ધરાવતા છઠ પૂજાનું આયોજન કિડાણા ખાતે શ્રી છઠ મહાપૂજા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉત્તરભારતના બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશ સહિતના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તહેવારમાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનો રિવાજ છે. પૌરાણિક માન્યતા અનુસાર, છઠ સૂર્યદેવની બહેન છે. સૂર્યોપાસના કરવાથી છઠ માતા ઘરમાં સુખ-શાંતિ અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.