ગાંધીધામમાં ધનતેરસના શુભ મુહૂર્તમાં સોના-ચાંદીની ખરીદી માટે વહેલી સવારથી જ બજારોમાં અને જવેલર્સના શોરૂમમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.દિવસે દિવસે ભાવ વધી રહ્યો છે ત્યારે લોકો રોકાણ માટે અને આવનારી લગ્નની સિઝન માટે પણ અત્યારથી જ સોનાની લગડી, સિક્કા સહિતની ખરીદી કરી રહ્યા છે.આ દિવસે કિંમતી વસ્તુઓ ખરીદવી શુભ મનાતી હોવાથી, સુકન સાચવવા લોકો તેને શુભ રોકાણ અને લક્ષ્મી કૃપાનો દિવસ ગણી ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે.