અંજાર શહેરમાં મામાના મંદિરની બાજુમાં યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી ભાવિનભાઈ કાનજીભાઈના જણાવ્યા પ્રમાણે આરોપી રામ બાવાજી અને તેની સાથેના બે અજાણ્યા ઈસમોએ ઝઘડો કરી કડુ મારી છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેથી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.