મુળી ધ્રાંગધ્રા પંથકમાં હોલીકા દહનનો પર્વ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. ગ્રહણનો અંશ હોવાના કારણે આ વર્ષે ફાગણ સુદ પૂનમના બદલે ચૌદસના રોજ હોલી પ્રગટાવવામાં આવી હતી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તોએ સવારથી હોલીકા માટે લાકડાં અને અન્ય ચીજવસ્તુઓ એકત્ર કરી સંધ્યા સમયે વિધિવત હોલીકા પ્રગટાવી હતી. પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદની અડગ ભક્તિ સાથે જોડાયેલા આ પર્વને લઇ લોકોમાં વિશેષ ભાવના જોવા મળી હતી.