આજે તા.23 નવેમ્બરના રોજ બનાવ અંગેની સાંજના બોટાદના ઢાંકણીયા રોડ તુલસીનગર–2માં કુલદીપભાઈ મહિપતભાઈ રોજાસરા ઉપર સામાન્ય બાબતે થયેલા વિવાદ દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા મારાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.તેમને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.