માંડવીમાં ઇતિહાસ રચાશે: પ્રથમવાર ભગવાન જગન્નાથજીના 'ગજઉદ્ધારણ વેશ'ના દર્શનકચ્છના માંડવીમાં ૧ ફેબ્રુઆરી (માઘપૂર્ણિમા) ના રોજ જગન્નાથપીઠ ખાતે ગુજરાતમાં પ્રથમવાર મહાપ્રભુ જગન્નાથજીના 'ગજઉદ્ધારણ વેશ' (ગજેન્દ્રમોક્ષ) યોજાશે. જગન્નાથપુરીથી ખાસ તૈયાર થઈને આવેલી વેશ-સામગ્રી સાથે પ્રભુ ગરુડ સવાર ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપશે. આયોજક રવિન્દ્ર સોલંકીના જણાવ્યા મુજબ, સાંજે ૫ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભક્તો આ દિવ્ય દર્શનનો લાભ લઈ શકશે.