મુળીના ખાટડી ગામે યોજાયેલી ખેડૂત સભામાં રાજકીય હલચલ તેજ બની છે. આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાે પોતાના સુર બદલતા નવા રાજકીય સંકેતો આપ્યા છે. આપમાંથી રાજીનામું આપ્યા બાદ અન્ય પક્ષ સાથે જોડાવાની વાત કરનાર રાજુભાઈએ સભામાં સરકારના સિંચાઈ મુદ્દે વખાણ કર્યા, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. હાલ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાનો એલાન કર્યો નથી, પરંતુ બદલાયેલા નિવેદનોને લઈને તેઓ કેસરિયો ધારણ કરે તેવી અટકળો તેજ બની છે