રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના સહયોગ થી અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં ચલાવવામાં આવતા બન્ની પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૨૭૦૦થી વધુ બન્ની ભેંસોનું દૂધ માપણી પૂર્ણ કરવામાં આવ્યું છે.