તળાજા: તળાજા પંથકમાં શેરડીના ઐતિહાસિક ભાવથી ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા સહિત આસપાસના અનેક ગામોમાં આ વર્ષે શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શેરડીના બજારભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂતોને સારો આર્થિક લાભ મળ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખુશીની લહેર પ્રસરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે શેરડીના ભાવ રૂ. 125 થી લઈને રૂ. 185 પ્રતિ મણ સુધી મળ્યા છે. ચાલુ વર્ષે બજારમાં શેરડીની માંગમાં વધારો અને ઉત્પાદનની સારી ગુણવત્તાના કારણે ખેડૂતોન