ભરૂચ રેલવે સ્ટેશન નજીક ઇન્ડિયન રોક પાયથોન-અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિકોએ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. યોગેશ મિસ્ત્રી તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી વન વિભાગના આરએફઓના માર્ગદર્શન હેઠળ સાવચેતીપૂર્વક અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. રેસ્ક્યૂ બાદ અજગરને કોઈ ઇજા ન થાય તે રીતે સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.