આજરોજ સવારે આદિપુર મદન સિંહ ચોક ખાતે જિંગલ ફાઉન્ડેશન દ્વારા 'વિજય દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કમાન્ડો (નિવૃત્ત BSF) ટેકચંદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અમરદીપ જ્યોતિ મશાલ પ્રગટાવીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાથી થઈ હતી. આ સાથે જ 1971ના યુદ્ધની જાણકારી, દેશભક્તિ સંગીત-નૃત્ય અને શહીદોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો અંત રાષ્ટ્રગાન સાથે થયો હતો.