લીલીયા તાલુકાના ક્રાંકચ ગામ નજીક ક્ષેત્રુંજી નદી પર નવા ડેમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ સ્થળ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન હોવાથી ડેમનું નામ ‘સહજાનંદ ધીજ’ રાખવાની માંગ કરીને ભક્તોમાંથી વિપુલભાઈ પાટીદાર દ્વારા સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવી છે.