સસ્તા અનાજના વેપારી પાસેથી રૂ.1 લાખની ખંડણી માંગવાના આરોપસર ધરપકડ કરાયેલા આપ પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને સંપત ચૌધરીએ સુરત કોર્ટમાં રજૂ કરી પોલીસે સાત દિવસના રિમાન્ડ ની માંગ કરી હતી.જ્યાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા જ્યુડિશિયલ હેઠળ મોકલી અપાયા હતા.જ્યાં જામીન અરજીની સુનાવણી બુધવારે રાખવામાં આવી હતી.પોલીસ ફરિયાદ ભાજપના ઇશારે ઉપજાવી નાખવાના આવી હોવાના આરોપ પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીએ કર્યા હતા.