શુક્રવારથી સુરતના ચોક બજાર વિસ્તારમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ઓપીડી ની શરૂઆત કરવામાં આવી છે. શહેરીજનોને હવેથી અહીં આયુર્વેદિકની સાથે સાથે હોમિયોપેથી સારવાર પણ મળી રહેશે. વધુમાં વધુ શહેરીજનોને દવા અને સારવાર નો લાભ લેવા પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.વિવિધ રોગોના વિના મૂલ્યે નિદાન અને સારવાર પણ મેળવી શકશે.જે અંગેની માહિતી શ્રી વૈધ મિલન દસોદીએ આપી હતી.