ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનિષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય કુમાર રામાનુજ દ્વારા ખાસ સફાઈ ઝુંબેશની મુલાકાત લેવામાં આવી હતી.નાયબ કમિશનર રામાનુજે સેનેટરી ઇન્સ્પેક્ટર સંજય આહીર અને સફાઈ વિભાગની ટીમ સાથે તાલુકા પંચાયત ઓફિસથી મુન્દ્રા સર્કલ સુધી ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.નિરીક્ષણ દરમિયાન તેમણે જાહેર માર્ગ પર કચરો નાખતા વ્યક્તિઓને દંડ ફટકારવા માટે અધિકારીઓને કડક સૂચના આપી હતી.