પાલીતાણા શહેરમાં PGVCL દ્વારા મેઈન્ટેનન્સની કામગીરીને પગલે શુક્રવાર, 19 ડિસેમ્બર 2025ના રોજ સવારના 7:00થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન ભૈરવપરા, એસટી રોડ, સરદાર નગર, ગણેશ નગર, GIDC, વડીયા રોડ, સુમેરો હોટેલ વિસ્તાર, સરદાર શોપિંગ સેન્ટર, ડોક્ટર હાઉસ, સતવાબાપા સંકુલ અને પંચશીલ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાશે.PGVCL દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રાહકોને આગોતરું આયોજન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.