ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬નો સુધારેલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં હાલ અંતર્ગત ચાલી રહેલ કામગીરીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મની કામગીરી ૧૦૦% તેમજ આયોજનબદ્ધ પૂર્ણ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી.