ઝઘડિયા: ભાલોદમાં પ્રજ્ઞાચક્ષુના મકાનમાં આગ, ઘરવખરી બળીને ખાખ; પડવાણીયાના સામાજિક આગેવાન મદદે આવ્યા.
પડવાણીયા ગામના જાણીતા સામાજિક આગેવાન કનુભાઈ વસાવા અને તેમના પુત્ર ઉમેશ વસાવા તેમજ તેમની ટીમને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત અરવિંદ ભાઈના પરિવારની વ્હારે આવ્યા હતા.કનુભાઈ વસાવા અને તેમની ટીમે તાત્કાલિક અસરગ્રસ્ત પરિવારને આર્થિક મદદ પૂરી પાડી હતી.