ઝીંઝુવાડા ગામના 26 વર્ષીય યુવકનું બે દિવસ પહેલા એલસીબીની કસ્ટડીમાં મોત થયું હતું જે બાઇક ચોરીના ગુન્હામાં રાત્રે લઈ જવાયો હતો ત્યારે ગજેન્દ્રસિંહે LCB કચેરીના શૌચાલયમાં શર્ટથી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું પરંતુ પરિવાર દ્વારા કસ્ટોડીયલ ડેથનો આરોપ લગાવી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો જે બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા ન્યાયિક તપાસની ખાતરી બાદ રાજકોટ ખાતે પેનલ પીએમ બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.