સ્વામિનારાયણ પુલ પાસે ધસી ગઈ હતી અને યુવાનને બહાર કાઢી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનના ખિસ્સામાંથી કોઈ આઈ.ડી. પ્રૂફ મળ્યું નથી. અંદાજે ત્રીસેક વર્ષના આ યુવાનના હાથમાં `જાનુ' ત્રોફાવેલું છે. પીળા કલરનું ટી-શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરી છે. પોલીસે યુવાનની ઓળખ તથા મૃત્યુ પાછળના કારણ જાણવા તજવીજ આદરી છે.