જિલ્લાના કંથરાવી ખાતે ઊર્જા મંત્રીના હસ્તે રૂ.૧.૫૬ કરોડના ખર્ચે પુનઃ નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું
Mahesana City, Mahesana | Dec 26, 2025
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કંથરાવી ગામમાં રૂ.૧.૫૬ કરોડના ખર્ચે પુનઃ નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તથા ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ અગ્રણી જયરાજસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.