અંજાર: ભીમાસર ગામ પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ડીવાયએસપી મુકેશ ચૌધરીએ અંજાર ડીવાયએસપી કચેરી ખાતેથી માહિતી વર્ણવી
Anjar, Kutch | Sep 16, 2025 અંજારના ભીમાસર ગામ પાસે થયેલા યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.આ હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની અંજાર પોલીસે ધરપકડ કરી છે. જેની સમગ્ર માહિતી આજરોજ સાંજે 5:00 વાગે ડીવાયએસપી મુકેશ ચૌધરીએ ડીવાયએસપી કચેરી ખાતેથી વર્ણવી છે.