શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની છે. નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની પોકળ વાતો વચ્ચે વાસ્તવિકતા એ છે કે છેલ્લા 2-3 વર્ષમાં આખલાની ટક્કરે 6 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.દૂધ ડેરી વિસ્તારમાં બે આખલાઓ વચ્ચેના યુદ્ધ દરમિયાન, એક આખલો મહંત ગણેશગીરી બાપુ પાછળ દોડયો હતો.ખાડામાં પડી જતા તેમને ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી.