રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના હેઠળ ગૌચર વિસ્તારોમાં આવેલ તળાવોને નર્મદાના જળથી ભરવા માટે નોંધણી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એવા અનેક ખેડૂત અને પશુપાલક પરિવારોને મોટી રાહત મળશે, જેમના ગામની નજીક આવેલા તળાવો ગૌચર વિસ્તારમાં સ્થિત છે. હવે આવા તળાવોમાં નર્મદાનું પાણી ભરી શકાશે, જે ખેતી, પશુપાલન તથા અન્ય ગ્રામ્ય જરૂરિયાતો માટે ઉપયોગી બનશે. આ બાબતે ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળીએ નિવેદન આપ્યું હતું....