માણાવદર તાલુકા આમ આદમી પાર્ટીના નવીન સંગઠનમાં આજે મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો હતો. રાજેશભાઈ સોલંકીને માણાવદર તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બાદ પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમનું હાર-તોરા સાથે હાર્દિક સન્માન કરવામાં આવ્યું.આ સન્માન કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પ્રમુખ હરેશભાઈ કણસાગરા, તથા અન્ય આગેવાનો, કાર્યકરો અને સપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા.