વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ તારીખ 7/11 /2025 ના સાંજના સમયે ગાંધીધામના મેઇન બજાર સ્થિત ઝંડા ચોક ખાતે જનસભા સંબોધી હતી. જોકે, આ જનસભા દરમિયાન કેટલાક નાગરિકોએ વિરોધ પણ કર્યો હતો. તેમ છતાં ઇટાલિયાએ શાંતિ જાળવીને લોકહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સ્થાનિકો સાથે સીધી વાતચીત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.આ અવસરે આપના પૂર્વ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ડૉ.કાયનાત અન્સારી આથા સહિત હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને જનતા ઉપસ્થિત રહ્યા હતા.