અંજાર પી.આઈ. એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સોર્સ અને CEIR પોર્ટલની મદદથી ₹1.20 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ સાથે જ ચીલઝડપના ગુનામાં રિકવર કરેલી ₹80,000ની સોનાની ચેન પણ કોર્ટના હુકમ બાદ ફરિયાદીને આજરોજ પરત કરવામાં આવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધારવાના આ પ્રયાસને લોકોએ બિરદાવ્યો હતો.આ સફળ કામગીરી અંજાર પીઆઇ.એ.આર.ગોહીલ, પીએસઆઇ એસ.જી.વાળા, જે.એસ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો દ્રારા ક૨વામાં આવેલ છે.