તારાપુર ખાતે આવેલ કનેવાલ તળાવે સબંધિત અધિકારીઓને સાથે રાખી પ્રાંત અધિકારી કુંજલ શાહે કનેવાલ તળાવ ખાતે બની રહેલ ડિસિલ્ટિગ પ્લાન્ટની સ્થળ મુલાકાત કરી હતી.ત્યારબાદ તારાપુર તાલુકાના નભોઈ ખાતે ગ્રામસંવાદ યોજવામા આવ્યું હતું. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો સાંભળી તે અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત તારાપુર તાલુકામાં ગલિયાણા ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું