કનેવાલ તળાવ વચ્ચે બે ટાપુઓ પર અનઅધિકૃત રીતે ઘરો બનાવ્યા હતા. અને 100 એક વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર ખેતી કરવામાં આવતી હતી.જેને લઈ સિંચાઈ વિભાગ દ્વારા કનેવાલ તળાવની વચ્ચે આવેલ બે બેટ પર અનઅધિકૃત રીતે બાંધવામાં આવેલ 35 જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા હતા. 100 એક વીઘા ઉપર અનઅધિકૃત રીતે કરવામાં આવતી ખેતી સહિતના દબાણો 8 હિટાચી મશીન દ્વારા દૂર કરાયા હતા.દબાણ હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ હતી.