સાવરકુંડલા: ઓળીયા ગામ પહોંચી સરદાર સન્માન યાત્રા.
સરદાર સન્માન યાત્રા ૨૦૨૫ સાવરકુંડલાના ઓળીયા ગામે પહોંચી, ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીસાવરકુંડલા તાલુકું – “સરદાર સન્માન યાત્રા – ૨૦૨૫” જે ૧૧ સપ્ટેમ્બરે બારડોલીથી શરૂ થઈ હતી અને ૨૨ સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પૂર્ણ થવાની છે. તે આજે ઓળીયા ગામે પહોંચી હતી. આ યાત્રા ૧૮ જિલ્લાઓ અને ૩૫૫ ગામોમાંથી પસાર થઈને આશરે ૧,૮૦૦ કિ.મી.નું અંતર કાપશે અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે.