સુરતના રુદરપુરા વિસ્તારમાં આવેલા જગન્નાથ મહાદેવ મંદિર પાસે એક ઝાડમાં કાગડો ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. મંદિર આસપાસથી પસાર થતા સ્થાનિક લોકોએ ઝાડમાં ફસાયેલો કાગડો નજરે પડતાં તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ મળતાની સાથે જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ યોગ્ય સાધનોની મદદથી ઝાડમાં ફસાયેલા કાગડાને સલામત રીતે બહાર કાઢ્યો હતો. કાગડાને બહાર કાઢ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી અને કોઈ ગંભીર ઈજા ન હોવાનું જણા.