તળાજા: તળાજામાં ફરી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું
તળાજા: ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ફરી એકવાર ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વેડફાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, આ પાઇપલાઇન દ્વારા તળાજાના અડધા શહેરમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા આ જ લાઇનનું રિપેરિંગ કામ ગઈકાલે જ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આજે ફરી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. ભંગાણને કારણે પાણીનો મોટા પ્રમાણમાં બગાડ થયો છે અને પાણી પુરવઠા પર પણ