દયાળ ગામમાં આજે રાત્રે ફરી એક વખત સિંહનો આતંક જોવા મળ્યો હતો. ગામના રહેવાસી કાનાભાઈ રૂખડભાઈ ચૌહાણના વાસરડાનું સિંહે મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. માહિતી મુજબ, રાત્રિના સમયે ખેતર નજીક બાંધેલા પશુઓ પર સિંહે હુમલો કર્યો હતો. જેમાં એક વાસરડાનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થયા હતા અને સિંહના વધતા ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.