આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુવર્ણ શિલ્પી જ્વેલર્સની ફેક્ટરીમાં કામ કરતા કારીગરોએ હાથ ફેરો કર્યો હતો. ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કારીગરો 1.45 કરોડ રૂપિયાનું 22 કેરેટ સોનુ લઈ ફરાર થઈ ગયા હતા.ત્રણેય બાપ-દીકરાઓને દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનુ આપવામાં આવ્યું હતું.ત્રણેય બાપ-દીકરાઓએ સોનાના વજનમાં ઘટ કરી છેતરપિંડી આચરી છે.