બોટાદમાં બનેલી ઘટના ના વિરોધમાં સુરત આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને શુક્રવારના રોજ બપોરના બાર કલાકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.ઘટનામાં પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા ખેડૂતો પર દમણ ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેથી આવા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.કડદા વેપારીઓના સમર્થનમાં આ સરકાર છે અને ખેડૂતો પર થઈ રહેલા દમણને લઈ સરકાર મૌન છે તેવા આક્ષેપો કર્યા હતા.ખેડૂતો પર થયેલા પોલીસ કેસો પરત ખેંચવાની માંગ કરી.