આજે તારીખ 27/12/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા સંજેલીના નાના આંબલિયા ગામે સંકલન બેઠક યોજાઈ.આ બેઠક ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠક દરમિયાન પાર્ટીની સંગઠન મજબૂતી, આવનારા કાર્યક્રમોની રૂપરેખા તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કાર્યકરોને સંગઠનાત્મક જવાબદારીઓ સોંપી, જનસંપર્ક વધારવા તથા જનસમસ્યાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.