જામનગરના રણજીત નગર હુડકો વિસ્તારમાં રહેતી છાયાબેન ભગવાનજીભાઈ પિઠીયા નામની 50 વર્ષની મહિલાએ પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં ભાડેથી રહેતા ધ્રુવાબા ચુડાસમા અને અર્જુનસિંહ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહિલા તથા અન્ય પાડોશીઓ, કે જેઓએ અર્જુનસિંહના મકાન માલિક ભરતભાઈ ગોસ્વામી વિરુદ્ધ અરજી કરી હતી, અને ભાડુઆત સંબંધે તેમાં ઉલ્લેખ કર્યો હતો