ગાંધીધામને વધુ એક આધુનિક માર્ગની ભેટ મળતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે,રાજ્ય સરકાર દ્વારા 135 કરોડના ખર્ચે રિંગરોડ બનાવાને મંજૂરી અપાતાં આદિપુર-ગાંધીધામના વાહનવ્યવહાર માટે ટાગોર રોડ સમાન વધુ એક માર્ગને સુવિધા મળશે તેમણે ગ્રીન રિંગરોડના પ્રકલ્પ માટે 135 કરોડની રકમ ફાળવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ પ્ર્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.