આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને તારીખ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોરસદ ચોકડીથી બસ સ્ટેશન રોડ પર આવેલા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને પાણીપુરીની લારીઓ પર હાથ ધરવામાં આવેલ આ આકસ્મિક તપાસ અંતર્ગત કુલ ૧૭ જેટલી જગ્યાઓએ તપાસ કરી ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.