તા. 29/10/2025, બુધવારે સાંજે 5.30 વાગે મળેલી માહિતી મુજબ ધોળકા ખાતે હઝરત પીર સૈયદ કાસિમઅલી બાવા ( ર. અ.) ના 61 મા વાર્ષિક ઉર્ષ નિમિત્તે પવિત્ર સંદલ શરીફનું જુલુસ હઝરત ખટુપીર બાવા (ર. અ.) ની દરગાહ ધોળકાથી કાઢવામાં આવ્યું હતું. જે સાંજે સાંજે પાંચ વાગે હઝરત પીર સૈયદ કાસિમઅલી બાવા (ર. અ.) ની દરગાહ પહોંચ્યું હતું. ઈશાની નમાઝ બાદ હઝરત સાઈરઅહેમદ બાવા સાહેબ અને તેમના કુટુંબીજનો તરફથી પવિત્ર સંદલ શરીફની રશમ અદા કરવામાં આવી હતી.