વડોદરાના કીર્તિસ્તંભ નજીક પીરામીતા રોડ પર ગેસ પાઇપલાઇનમાં આગ લાગતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો. ધુમાડા અને આગના કારણે લોકોમાં ભયનું માહોલ સર્જાયું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ પામ્યો. ફાયર કર્મચારીઓની ઝડપી અને સતર્ક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટા સંપત્તિ નુકસાન થયું નથી. પ્રાથમિક તપાસમાં આગના કારણ તરીકે ગેસ લાઇનમાં લીકેજ હોવાનું અનુમાન છે.